|
- જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લા માં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણા, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
|
|