તા.૧૪/૦૯/૨૦૨૦ થી તા.૨૦/૦૯/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( એ.એમ.સૈયદ )
I/C નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જિલ્લાના ભાંખલ ગામે થયેલ ખોડીયાર માં ની પંચધાતુ ની ચાંદીનુ વરખ ચડાવેલ મુર્તિ આશરે કિમત રૂ.૨૦,૦૦૦/- ની ચાંદીના વરખ ચડાવેલ મુર્તિ સાથે બે ઇસમને પકડી પાડતી અલંગ પોલીસ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબે મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ જેથી અલંગ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.બી.ચૌધરી તથા હે.કો. ડી.વી.વાળા તથા પો.કો. સુરપાલસિંહ સરવૈયા તથા પો.કો. વીરૂભાઇ પરમાર પોલીસ સ્ટાફનાં માણસોને ત્રાપજ ઓ.પી. વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેક ગુન્હાઓ ડીટેક કરવા અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જે સુચના અને માર્ગદર્શન હેઠળ અલંગ પો.સ્ટે સ્ટાફના માણસો અલંગ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાંખલ ગામે કેનાલ પાસે અવાતા બે વ્યક્તી ત્યાં ઉભેલા જોયેલા તેઓને ચેક કરતા ખોડીયાર માં ની પંચધાતુ ની ચાંદીનુ વરખ ચડાવેલ મુર્તિ એક કનતાનના કોથળામા લઇને મળી આવતા જે ખોડીયાર માં ની પંચધાતુ ની ચાંદીનુ વરખ ચડાવેલ મુર્તિ બાબતે પુછ પરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી. જેથી પંચોના માણસોને બોલાવી આ બન્ને વ્યક્તીનુ નામ પુછતા દશરથસિહ શાંન્તુભા ગોહિલ ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે. ભાંખલ તા.ઘોઘા તેમજ નં.(૨) ભોલા અચ્છેલાલ રાજભર ઉ.વ ૩૩ રહે અલંગ શીપયાર્ડ પ્લોટ નં ૨૧ ની સામે તા-તળાજા જી.ભાવનગર મુળ વતન યુ.પી વાળો હોવાનુ જણાવેલ અને તેના હાથમા રહેલ એક કનતાનના કોથળામા લઇને મળી આવતા જે ખોડીયાર માં ની પંચધાતુની ચાંદીનુ વરખ ચડાવેલ મુર્તિ બાબતે મજકુર ઇસમને અમો પંચો રૂબરૂ પુછ પરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી અને મજકુર ઇસમ ફર્યુ ફર્યુ બોલવા લાગતા ઇસમ તાજેતરમાં ભાંખલ ગામતા-ઘોઘા થી એક કીલોમીટર દુર ખોડીયાર માતાજીની મંદીરમા થયેલ ચોરી બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમએ જાણવેલ કે ગઇ તા.૦૯/૦૯/૨૦૨૦ ના રોજ રાત્રીના ૦૮/૦૦ વાગ્યે ભાંખલ ગામે ખોડીયાર માતાજીના મંદીરે ખોડીયાર માં ની પંચધાતુ ની ચાંદીનુ વરખ ચડાવેલ મુર્તિ ધોરણસર અટક કરેલ છે. જે અલંગ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૮૦૦૨૨૦૦૩૭૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦. મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર આરોપીને અલંગ પો.સ્ટે ખાતે પકડી લાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં અલંગ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એસ.બી.ચૌધરી, હે.કો.ડી.વી.વાળા, પો.કો. સુરપાલસિંહ સરવૈયા તથા પો.કો. વીરૂભાઇ પરમાર વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.
|