તા.૦૯/૦૩/૨૦૨૦ થી તા.૧૫/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
અલંગ યાડ માંથી ચોરીના ભંગાર વજન ૩૯૧૦ કિ.ગ્રા. કિ.રૂ.૭૮,૨૦૦/- મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્સ્પેકટરશ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ મરીન પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અલંગ યાર્ડમાં આવતા બાતમીરાહે હકીકત મળેલ કે, અહી આગળ સત્યેંદ્રભાઇ હરીભાઇ યાદવ ઉ.વ.-૨૪ ધંધો મજુરી રહે- અલંગ પ્લોટ નં.૨૨, શ્રી ગણેશ સ્ટીલ, હનુમાન પાટીયા, તા.તળાજા વાળાએ દરીયામાંથી ચોરી કરીને લાવેલ લોખંડનો ભંગાર અલંગ યાર્ડ પ્લોટ નં.૮૪ ના વર્કીંગ પ્લોટની પાછળ રામગુફાની આગળ બાવળની કાંડમાં સંતાડીને રાખેલ છે. તેવી હકીકત મળતા જે હકીકત આધારે તુર્તજ પંચો સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યા એક ઇસમ હાજર મળી આવેલ જેનુ નામઠામ પુછતા સત્યેંદ્રભાઇ હરીભાઇ યાદવ ઉ.વ.-૨૪ ધંધો મજુરી રહે- અલંગ પ્લોટ નં.૨૨, શ્રી ગણેશ સ્ટીલ, હનુમાન પાટીયા, તા.તળાજા જી.ભાવનગર મુળ વતન ગામ.સોન્બ્સા, તા.રામપુરતરખાના જી.દેવરીયા રાજ્ય.ઉત્તરપ્રદેશ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની પાસે નાની મોટી લોખંડની પ્લેટના કટકાનો ભંગાર મળી આવતા જે લોખંડના ભંગારના બીલ, આધાર પુરાવા મજકુર ઇસમ પાસે માગતા પોતાની પાસે ભંગરાના કોઇ બીલ કે આધાર પુરાવા ન હોવાનુ જણાવતા મજકુર પાસેથી મળી આવેલ લોખંડનો ભંગાર જુદા જુદા પ્લોટ, બોટ માંથી ચોરી કરીને અગરતો છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા, જે લોખંડના ભંગારનુ વજન કરાવી જોતા વજન ૩૯૧૦ કિ.ગ્રા. થયેલ જેની કિ.રૂ.૭૮,૨૦૦/- ગણી મુદામાલ સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.ક. ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરી, મજકુર આરોપીને અલંગ મરીન પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર, પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા
|