તા.૧૩/૦૧/૨૦૨૦ થી તા.૧૯/૦૧/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( એમ.એચ.ઠાકર )
I/C નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
જેસર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા દશ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જેસર પોલીસ.
મ્હે.આઇ.જી.પી.શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપી પકડી પાડવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ભાવનગર જિલ્લાના મે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબનાં માર્ગદર્શન હેઠળ તેમજ પાલીતાણા વિભાગીય ના.પો.અધિ.શ્રી.ના માર્ગદર્શન હેઠળ
જેસર પો.સ્ટે.નો સ્ટાફ જેસર પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે જેસર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૦ ઇ.પી.કો.કલમ ૩૯૪,૧૧૪ મુજબનાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ધીરૂભાઈ ભીખાભાઇ વાઘેલા રહે- ઢુઢીયા પીપળીયા તા.કુકાવાવ જી.અમેરલી વાળો છાપરીયાળી આણંદજી કલ્યાણજીની પેઢી પાસે ઉભેલ છે તેવી હકીકત મળતા તુર્તજ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં છાપરીયાળી પેઢી પાસે એક ઇસમ જોવામાં આવતાં તેને પકડી તેનુ નામ ઠામ પુછતા ધીરૂભાઇ ભીખાભાઇ વાઘેલા રહે- ઢુઢીયા પીપળીયા તા.કુકાવાવ જી.અમેરલી વાળા હોવાનું જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતાં જે બાબતે જેસર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૦ ઈ.પી.કો.કલમ ૩૯૪,૧૧૪ વિ.મુજબ ના કામે ઘોરણસર અટક કરી આગળની કાયઁવાહી હાથ ઘરેલ.
આ સમગ્ર કામગીરીમાં પો.સ.ઇ જે.એચ.સીસોદીયા તથા પો.કોન્સ સંજયસિંહ સરવૈયા, હેડ કોન્સ મનુભાઇ દીહોરા, પો.કોન્સ જીવાભાઇ ભમ્મર, કાનુભાઇ કામળીયા, છત્રપાલસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા.
ભાવનગર જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના શારીરીક તથા માનસીકત્રાસના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી ઉમરાળા પોલીસ
ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી. અશોકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે પાલીતાણા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ આર.એચ.જાડેજા સાહેબને ભાવનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી.એચ.આર.પઢીયાર સાહેબ તથા પોલીસ સ્ટાફનાં માણસો ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીની તપાસમાં રહેવા પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીરાહે હકિકત મળેલ કે, મહિલા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(ર)ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હેમેન્દરભાઇ પ્રવિણભાઇ ચાવડા રહે.સુરેન્દ્રનગર વાળા ધોળા ફાટક પાસે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા હેમેન્દરભાઇ પ્રવિણભાઇ ચાવડા ઉવ.૩૭ રહે. સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોધ કરાવી આગળની કાર્યવાહી માટે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુર.ન. ૩૭/૨૦૧૯ ઇ.પી.કો.- ઇ.પી.કો. ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(ર) મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પો.ઇન્સ.શ્રી.મહિલા પો.સ્ટે.ભાવનગર જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.
આ.સમગ્ર કામગીરીમાં ઉમરાળા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ.શ્રી.એચ.આર.પઢીયાર સાહેબ તથા હે.કો.હિતેશગીરી ગોસ્વામી, પો.કો.જગતસિંહ ગોહિલ, પો.કો.યુવરાજસિંહ ગોહિલ, પો.કો.મયુરસિંહ ગોહિલ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો નાસ્તા ફરતા આરોપી ને પકડાવામાં સફલતા મળેલ છે.
|