તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૩૦/૦૮/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ખુન કેસમાં ભાવનગર જીલ્લા જેલ રહેલ અને વચગાળાના જામીન મેળવી એક વર્ષથી ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ કે ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ હકિકત આધારે ભાવનગર શહેર ઘોઘારોડ (બી ડીવીઝન) પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૭૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં ભાવનગર જીલ્લા જેલમાં રહેલ કાચા કામનો કેદી નંબર-૧૬૦ સોમાભાઇ ઉર્ફે ચંપુ સુરીંગભાઇ રાછડ ઉ.વ.૩૦ રહેવાસી પારૂલ સોસાયટી, પ્લોટ નંબર ૫૨/એ, ઘોઘારોડ, ફાતીમા સર્કલ પાછળ ભાવનગર વાળો ભાવનગર જેલમાં ઉપરોક્ત ગુન્હામાં હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમથી દિન-૦૭ ના વચગાળાના જામીન ઉપર છુટેલ અને મજકુર કેદીને તા.૧૦/૦૯/૨૦૧૯ જેલમાં પરત હાજર થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો આ કેદીને ભાવનગર ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ મારફતે પરત ભાવનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી, જગદીશભાઇ મારૂ, વિજયસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ, મનદીપસિંહ ગોહિલ, દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર ભગીરથસિંહ જોડાયા હતા.