પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/26/2024 6:18:53 PM

તા.૩૦/૧૨/૨૦૧૯ થી તા.૦૫/૦૧/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

બળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી

ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ

 

    ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ,  ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની સુચનાથી, પોલીસ સબ ઇન્સ.આર.બી.વાધીયા સાહેબના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે ભરતનગર પો.સ્ટે. કલમ ૩૭૬ વિ.ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ  કેદી નંબર-૩૮૪/૧૮ કૈલાશ જીવતરામ રાજાણી રહે. સીતારામ ચોક, ૨૦૨, અર્બન, બ્લોકનં ૪, રૂમ નં ૨૮૨૨, ભાવનગર હાલ રહે. ઇન્દોર, પ્રજાપતનગર કોલોની, થાના- દ્રારકાપુરી ( મધ્યપ્રદેશ) વાળાને ઇન્દોર ખાતેથી ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.

   મજકુર કેદી સને ૨૦૧૮માં ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૬ વિ. મુજબના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીના પેરોલ મંજુર થયેલ અને પેરોલ પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.                           

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં, પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સાહેબ તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. યુસુફખાન અનવરખાન પઠાણ, યોગીનભાઇ ધાંધલ્યા, પો.કોન્સ. પાર્થભાઇ અશોકભાઇ પટેલ તથા સંજયસિંહ મહાવિરસિંહ ઝાલા જોડાયા હતા

 

 

ભાવનગર જીલ્લાના ગારીયાઘાર પોલીસ સ્ટેશનના અપહરણ તથા ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ

       

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

   જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાઘાર પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૬૬, ૩૮૦ ના ગુન્હામાં નાસ્તાફરતા આરોપીઓ હિમતભાઇ ચકુરભાઇ પરમાર તથા નયનાબેન હિમતભાઇ રહે. ચોમલ ગામ તા.ગારીયાઘાર વાળા  ભોરીંગડા ચોકડીએ બસની રાહ જોઇને ઉભા છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા (૧) હિમતભાઇ ચકુરભાઇ પરમાર ઉવ.૩૬(ર) નયનાબેન w/o હિમતભાઇચકુરભાઇ પરમાર ઉવ.૩૪ રહે. ચોમલ ગામ તા.ગારીયાઘાર જી.ભાવનગર હાલ રહે. આસોપાલવ સોસાયટી હાથસણી રોડ સાવરકુંડલા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૯૧/૨૦૦૭ ઇ.પી.કો.- ૩૬૬,૩૮૦ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પો.સબ.ઇન્સ. શ્રી. ગારીયાઘાર પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

   આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા, રાજપાલસિંહ સરવૈયા, પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. કિરિટભાઇ પંડયા, પો.કો. શકિતસિંહ સરવૈયા, શકિતસિંહ  ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ તથા વુમન પો.કોન્સ. ધર્મીષ્ઠાબેન દવેરા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.