પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 5:48:51 AM

તા.૦૧/૦૭/૨૦૧૯ થી તા.૦૭/૦૭/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને  પકડી પાડતી લોકલ  ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર.

               

     ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સ.ઇન્સ.શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

 

          જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજરોજ ભાવનગર શહરેમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.શ્રી ભાવનગરનાઓએ કરચલીયાપરામાં રહેતા રાજુ ઉર્ફે રાવણો ભુપતભાઇ વાઘેલાને ભાવનગર જિલ્લો તથા તેને અડીને આવેલ અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી ત્રણ માસ માટે હદપર કરતો હુકમ જારી કરેલ જે હુકમ આઘારે મજકુર ઇસમને તા.૧૯/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લા માંથી  ત્રણ માસ માટે હદપાર કરવામાં આવેલ. 

 

          મજકુર હદપાર થયેલ ઇસમ રાજુ ઉર્ફે રાવણો ભુપતભાઇ વાઘેલા ઉવ. ૪૦ રહે. કરચલીયા પરા રાણીકાવાળો આજરોજ ભાવનગર રાજકોટ હાઇવેરોડ હાદાનગરનાનાકે હોવાની હકિકત મળતા તુરંતજ બાતમી વાળી જગ્યાએ જઇ મજકુર હદપાર થયેલ ઇસમને પકડી સક્ષમ અઘિકારીશ્રીની પરવાનગી હોય તો બતાવવાનું જણાવતા મજકુર પાસે સક્ષમ અઘિકારીશ્રીની પરવાનગી નહી હોવાનું જણાવતા જેથી મજકુરે જી.પી.એકટ-૧૪૨ મુજબનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધમાં બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

 

          આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એન.એન.બારોટ તથા પો.સ.ઇન્સ.શ્રી એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ, કલ્યાણસિંહ જાડેજા પો.કો. મનદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.