પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/20/2024 7:07:59 PM

તા.૧૭/૦૬/૨૦૧૯ થી તા.૨૩/૦૬/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના મહાવીર પેટ્રોલ પંપ પાસેથી દહેજ પ્રતિબંઘીત ઘારાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

               

      ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

      જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા  ટાઉન વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પોલીસ કોન્સ.  જયદિપસિંહ ગોહિલ પાલીતાણા ભૈરવનાથ ચોક  પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન  પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી હિંમત ઘનશ્યામ સોલંકી તથા કંચનબેન અરવિંદ પરમાર રહે. પીયાવા સાવકુંડલા વાળા પાલીતાણા મહાવીર પેટ્રોલ પંપ પાસે ઉભા છે.  તેવી હકિકત મળતા તુરતજ પગપાળા બાતમી વાળી જગ્યા એ જઇ બંનૈ ઇસમોને પકડી નામ સરનામું પુછતા (૧) હિંમતભાઇ ઘનશ્યામભાઇ સોલંકી ઉવ. ૩૦ રહે. પીયાવા (વંડા) તા. સાવરકુંડલા જી. અમરેલી તથા (ર) કસુબેન ઉર્ફે કંચનબેન અરવિંદભાઇ પરમાર ઉવ. ૪૫ રહે. ગારીયાઘાર સુખનાથ રોડ કબીર ટેકરી નવાગામ વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુર બંન્નેને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે પાલીતાણા  ટાઉન પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુ.ર.ન. ૬૭/૨૦૧૮ ઇ.પી.કો. ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય આગળની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.  

       આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વુમન એ.એસ.આઇ. આઇશાબેન બેલીમ  હેડ. કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો. જયદિપસિંહ ગોહિલ,  ડ્રા.મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.