પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/13/2025 9:46:51 PM

તા.૧૧/૦૨/૨૦૧૯ થી તા.૧૭/૦૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

 

 

(ડી.ડી.ચૌધરી)

   નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

વાહન ચોરીના ગુન્હામાં એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

 

     ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.પી.એલ.માલ સાહેબેની સુચનાથી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ.એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-વિસ્તારમાં મિલ્કત સબંઘી ગુન્હાઓ ડીટેકટ કરવા તથા નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો આજ રોજ ભાવનગર શહેર વિસ્તાનરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગીવાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાગન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં  ભાવનગર,  કુંભારવાડા સર્કલ જાહેર રોડ ઉપર આવતાં  રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા પો.કો એ એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા. સાથે પકડતા જેનું નામ સરનામું પુછતા સંજયભાઇ ગોરઘનભાઇ મકવાણા ઉવ.૨૦ રહે. નવાગામ (ભાણગઢ) તા.ઘોલેરા જી.અમદાવાદ વાળા હોવાનું જણાવેલ. તેનાં કબ્જામાં રહેલ કાળા કલરનું હોન્ડા સાઇન નંબર પ્લેટ વગરનું જેના એન્જીન નંબર-JC36E3012922  ચેસીઝ નંબર- ME4JC36ABC8007903 ના લખેલ છે. જે વાહનના રજી. બુકનાં કાગળો કે આધાર માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. જે હોન્ડા સાઇન મજકુરે  ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મો.સા. કિ.રૂ.૪૫,૦૦૦/- Cr.P.C.કલમઃ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ. મજકુરની પુછપરછ  કરતા આજથી ચાર મહિના પહેલા બોળતળાવ બોટ હાઉસ પાસેથી પોતાએ તથા ફૈઇના દિકરા જયેશ અરજણભાઇ રાઠોડ રહે. ભાવનગર કુંભારવાડા અક્ષર પાર્ક પ્લોટ નં-૧૧૯૫ સાથે ચોરી કરેલાની કબુલાત આપેલ છે. જે બાબતે ખરાય કરતા બોળતળાવ પો.સ્ટે. ફ.ગુ.ર.ન-૩૩/૨૦૧૯  ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

      આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા સાહેબની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના હે.કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા, જીતેન્દ્રસિંહ ઝાલા, રાજપાલસિંહ સરવૈયા પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણ, રાજેન્દ્રસિંહ સરવૈયા ચિંતનભાઇ મકવાણા, ગૈારાંગભાઇ પંડયા શકિતસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર વિગેરે જોડાયા હતા.